Tuesday, June 5, 2018

Mega Test - 6


1). ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજવી કોણ હતા ?
A. કુમારપાળ                    B. સિદ્ધરાજ જયસિંહ        C. મૂળરાજ સોલંકી         D. સયાજીરાવ ગાયકવાડ

2). ગુજરાતમાં ક્ષત્રપો કયા ધર્મનું પાલન કરતાં હતા ?
A.બૌદ્ધ ધર્મ                      B. શૈવ ધર્મ                C. જૈન ધર્મ                D. હિંદુ ધર્મ

3).ગુપ્તવંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી ?
A.શ્રીગુપ્ત                       B. ચંદ્રગુપ્ત પ્રથમ          C. ચંદ્રગુપ્ત દ્વિતીય         D. શ્રીગુપ્ત બીજો

4).રત્નમાલા કાવ્ય કયા વંશની માહિતી આપે છે ?
A.ચાવડા                        B.સોલંકી                    C. વાઘેલા                  D. ગુપ્ત

5).ભીમદેવ પહેલાના પત્નીનું નામ શું હતું ?
A.ઉદયમતી                     B. નાયકાદેવી              C. બકુલાદેવી               D. A અને C બંને

6).કબીરવડ કઈ નદીના સંગમ સ્થળ પર આવેલો છે ?
A. નર્મદા અને ઢાઢર            B. નર્મદા અને ઓરસંગ    C. નર્મદા અને કરજણ      D. નર્મદા અને કાવેરી

7).કયું જોડકું ખોટું છે ?
A.સુરપાણેશ્વર અભ્યારણ્ય-નર્મદા                   B. જેસોર રીંછ અભ્યારણ્ય- પંચમહાલ        
C. રતનમહાલ રીંછ અભ્યારણ્ય – દાહોદ           D. ઘૂડખર અભ્યારણ્ય- કચ્છ

8). ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?
A. તરણેતર                     B. ભવનાથ                 C. વૌઠા                    D. માધવપુર

9). નીચેનામાંથી કયું વીજમથક નથી ?
A. ધૂવારણ                      B. તારાપુર                 C. વણાકબોરી              D. પાનમ

10). ઉત્તર ગુજરાતની કઈ નદી સમુદ્રને મળતી નથી ?
A. બનાસ                       B. સરસ્વતી                C. રૂપેણ                    D. ઉપરની બધી જ

11). ગુજરાતનાં બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે ?
A. મધ્ય ગુજરાત                B. ઉત્તર ગુજરાત           C. સૌરાષ્ટ્ર                  D. ઝાલાવાડ

12). નીચેનામાંથી કયું બંદર બારમાસી નથી ?
A. કંડલા                         B. મગદલ્લા                C. બેડી                     D. ઓખા

13). કયું જોડકું ખોટું છે ?
A. સૂર્ય શક્તિથી ચાલતું કોલ્ડ સ્ટોરેજ – છાણી
B. દરિયાના ખારા પાણીને સૌર શક્તિથી ઉકાળીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ – અવાણિયા
C. વિન્ડફાર્મ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું બંદર – માંડવી
D. ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર – ભરૂચ

14). હઠીસિંહ વિઝ્યુયલ આર્ટ સેન્ટર ક્યાં આવેલું છે ?
A. રાજકોટ                       B. અમદાવાદ               C. ભાવનગર               D. જુનાગઢ

15). સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલ છે ?
A. સંતરામપુર                   B. ઉમરેઠ                   C. ડાકોર                    D. નડિયાદ

16). ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A. 1965                         B.1974                     C. 1985                    D. 1980

17). સરોવર અને સ્થળ અંગેનું કયું જોડકું ખોટુ છે ?
A. આજવા – વડોદરા પાસે      B. મલાવ તળાવ – ધોળકા       C. હમીરસર – અંજાર      D. મુનસર -  વિરમગામ

18). નીચેનામાંથી કઈ જિલ્લાની સરહદ મહારાષ્ટ્રને સ્પર્શતી નથી ?
A. સુરત                         B. તાપી                    C. ડાંગ                     D. નર્મદા

19). રણમલ તળાવ ક્યાં આવેલું છે ?
A. ભાવનગર                    B. રાજકોટ                  C. જામનગર               D. જુનાગઢ

20). ગુજરાતની દક્ષિણે કયો પર્વત આવેલો છે ?
A. અરવલ્લીના ડુંગરો           B. પારનેરા                 C. શેત્રુંજો                   D. બરડો

21). નર્મદા તીરે આવેલું કયું સ્થળ અસ્થિ વિસર્જન માટે પ્રસિદ્ધ છે ?
A. શુકલતીર્થ                    B. કાયાવરોહણ             C. ચાંદોદ                   D. ગલતેશ્વર

22). આરાસુરમાં ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે ?
A. જેસોર                        B. તારંગા                  C. અંકલેશ્વર                D. જાંબુઘોડા

23). લાલ રંગનો ડોલોમાઇટ આરસ ક્યાંથી મળી આવે છે ?
A. જેસોર                        B. છૂછાપુરા                 C. ધીણોધર                D. ખાવડા

24). ગુજરાત ભારતના કુલ દરિયાકિનારાનો કેટલા ટકા ભાગ ધરાવે છે ?
A. 20 %                        B. 28%                    C. 25%                    D. 30%

25). એશિયાભરનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?
A. બાજવા                       B. કાલોલ                   C. કલોલ                   D. અંકલેશ્વર

26). ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ?
A. જહાંગીર                      B. ઔરંગઝેબ               C. શાહજહાં                 D. એકપણ નહીં

27). ત્રિભુવનગંડ ઉપનામ કોણે ધારણ કરેલું હતું ?
A. કુમારપાળ                    B. સિદ્ધરાજ જયસિંહ        C. ભીમદેવ બીજો          D. કુમારગુપ્ત

28). ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?
A. પ્રથમ                        B. બીજી                    C. ત્રીજી                    D. B અને C બંને

29). રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે ?
A. સંસ્કૃત                        B. પ્રાકૃત                   C. પાલી                    D. એક પણ નહીં

30). ધર્માદિત્યના નામે કયો રાજવી ઓળખાય છે ?
A. ગૃહસેન                       B. શિલાદિત્ય સાતમો       C. ધરસેન ચોથો            D. ધ્રુવસેન બીજો

31). કયો રાજા શિવભક્ત હોવા છતાં તેમના સમયમાં વલભીમાં જૈન ધર્મની મહાસભા યોજાઇ હતી ?
A. ધ્રુવસેન પહેલો               B. ધરસેન ચોથો            C. શીલાદિત્ય સાતમો      D. ભટ્ટાર્ક

32). આગમ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?
A. જૈન                          B. બૌદ્ધ                     C. હિંદુ                      D. ખ્રિસ્તી

33). સૌ પ્રથમ શિલાલેખ શોધનાર કોણ હતું ?
A. જેમ્સ પ્રિન્સેપ                 B. કર્નલ જેમ્સ ટોડ          C. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી       D. એમ.એચ. વિલ્સન

34). વિન્સ્ટન સ્મિથે કાયા રાજવીને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું ?
A. કુમારગુપ્ત                   B. સમુદ્રગુપ્ત               C. વિષ્ણુગુપ્ત              D. સ્કંદગુપ્ત

35). ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કોણ હતું ?
A. ઘટોત્કચ                      B. ચંદ્રગુપ્ત પ્રથમ          C. શ્રી ગુપ્ત                D. સમુદ્રગુપ્ત

36). મહંમદ બેગડાએ જૂનાગઢનાં કયા રાજાને હરાવ્યો હતો ?
A. રામાંડલિક                   B. રાખેંગાર                C. રાનવઘણ              D. પતઈ રાવળ

37). ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
A. 1529                         B. 1592                    C. 1569                    D. 1552

38). સૌરાષ્ટ્રના કયા એકમાત્ર રાજાના જીવન પર સંસ્કૃતમાં મહાકાવ્ય રચાયું છે ?
A. વાઘજી ઠાકોર                B. રાડિવાસ                C. રામાંડલિક              D. એક પણ નહીં

39). અમદાવાદમા મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત ક્યારે થઈ ?
A. 1-4-1947                    B. 1-7-1948               C. 1-7-1950               D. એકપણ નહીં

40). વિનોદ કિનારીવાલાની ખાંભીનું ઉદઘાટન કોણે કર્યું હતું ?
A. જયપ્રકાશ નારાયણ          B. ઇન્દુલાલ યાજ્ઞિક         C. જવાહરલાલ નહેરુ       D. મોરારજી દેસાઈ

41). સરધાર સત્યાગ્રહ ક્યારે થયો હતો ?
A. ૧૯૧૭                        B. ૧૯૨૩                   C. ૧૯૨૨                   D. ૧૯૨૮

42). ગુજરાતનાં અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
A. સિદ્ધરાજ જયસિંહ             B. કર્ણદેવ વાઘેલા          C. કુમારપાળ સોલંકી       D. ભીમદેવ સોલંકી

43). અમદાવાદનું કાંકરીયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
A. અહમદશાહ                   B. કુતુબુદ્દીન અહમદશાહ   C. કુતુબુદ્દીન ઐબક         D. મહંમદ બેગડાએ

44). ગુજરાતનાં ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
A. મહંમદ બેગડો                B. મહંમદ ગઝની          C. ઇલ્તુતમિશ              D. કુમારપાળ

45). સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો કોના હાથે નંખાયો હતો ?
A. ડૉ. રાજેન્દ્રપ્રસાદ             B. પંડીત જવાહરલાલ નહેરૂ          C.વલ્લભભાઈ પટેલ        D. મોતીભાઈ અમિન

46). કઈ નદી ખંભાતના અખાતમાં ઠલવાય છે ?
A. મીંઢોળા                      B. મહી                     C. સાબરમતી              D. A,B,C બધી જ

47). ગુજરાતનાં કયા જીલ્લામાં શિડ્યુલ કાસ્ટની વસતી સૌથી ઓછી છે ?
A. તાપી                         B. નર્મદા                   C. દાહોદ                   D. ડાંગ

48). ગુજરાતમાં તાપી જીલ્લામાં કેટલું લિંગ પ્રમાણ છે ?
A. ૧૦૦૭                        B. ૧૦૦૬                   C. ૧૯૫૬                   D. ૧૯૨૨

49). ગિરનારના અશોકના શિલાલેખનું શુદ્ધવાચન કઈ સાલમાં થયું ?
A. ઈ.સ. ૧૮૬૨                 B. ઈ.સ. ૧૮૭૫            C. ઈ.સ.૧૯૫૬             D. ઈ.સ. ૧૯૨૨

50). ગુજરાતનો ઇતિહાસ જાણવા ઉપયોગી એવું પુસ્તક કાન્હડદે પ્રબંધના લેખક કોણ હતા ?
A. દલપતરામ                  B. બાણભટ્ટ                 C. પ્રાણલાલ એદલજી ડોસા               D. પદ્મનાભ

51). માર્કોપોલોએ કયા વંશના શાસકોના શાસનકાળ દરમ્યાન ગુજરાતની મુલાકાત લીધી હતી ?
A. સોલંકી વંશ                  B. ચાવડા વંશ             C. મૈત્રક વંશ               D. વાઘેલા વંશ

52). રંગપુરના શોધકર્તા નીચેનામાંથી કોણ હતા ?
A. ડૉ. એસ.આર. રાવ           B. ડૉ.કનિંગહામ            C. માધોસ્વરૂપ વત્સ        D. રખાલદાસ બેનરજી

53). નીચેનામાંથી કઈ એક સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તથા સંશોધનનું કામ કરે છે ?
A. એલ.ડી.ઇન્ડોલોજી            B. સયાજીરાવ ગાયકવાડ  C. સાલરંગ મ્યુઝિયમ      D. ભો.જે.વિદ્યાભવન

54). મૈત્રકવંશનો કયો રાજવી ખૂબ ધર્માનુરાગી હતો અને તે દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો તથા દ્રવ્યદાન કરતો ?
A. ભટ્ટાર્ક                         B. ચક્રપાલી                C. શિલાદિત્ય પહેલો        D. ધ્રુવસેન પ્રથમ

55). વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક કોના હાથે થયો હતો ?
A. માતા રૂપસુંદરીના હાથે                          B. મિત્ર અણહીલ ભરવાડ  
C. જૈનાચાર્ય શીલગુણસૂરિના હાથે                  D. તેમની ધર્મની બહેન શ્રીદેવીના હાથે

56). કુમારપાળે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો ?
A. શિવધર્મ                      B. જૈન ધર્મ                C. બૌદ્ધ ધર્મ                D. વૈષ્ણવ ધર્મ

57). પૃથ્વીરાજ ચૌહાણે તેના પિતા સોમેશ્વરના મૃત્યુનું વેર વાળવા ગુજરાત પર ચઢાઈ કરી તે સમયે ગુજરાતનાં શાસક કોણ હતા ?
A. મૂળરાજ પ્રથમ                B. ભીમદેવ બીજો           C. ભીમદેવ પ્રથમ                   D. ત્રિભુવનપાળ

58). અહમદશાહે અહમદાબાદના નિર્માણની શરૂઆત ક્યાથી કરી હતી ?
A. ભદ્રના કિલ્લાથી              B. રાણીના હજીરાથી        C. રાણી સિપ્રીની મસ્જિદથી          D. બાદશાહના હજીરાથી

59). મહંમદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં કોનું રાજ્ય હતું ?
A. દેવરાજ                      B. વત્સરાજ                C. પતઈ રાવળ            D. દંતિદુર્ગ

60). ગુજરાતનો છેલ્લો મુસ્લિમ સૂબેદાર કોણ હતો ?
A. મહેરઅલી ખાન              B. મોમીન ખાન             C. હૈદર અલી ખાન         D. હમીદખાન

61).કુંભારિયાના દેરાં કોણે બંધાવ્યા હતા ?
A. વિમળશાહે                             B. વિસલદેવ વાઘેલાએ    C. કર્ણદેવ વાઘેલાએ       D. ભીમદેવ સોલંકીએ

62). ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?
A. દાંડીકુચ                      B. અસહકાર                C. હિન્દ છોડો               D. ધરાસણા સત્યાગ્રહ

63). ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
A. મહાત્મા ગાંધી                B. વલ્લભભાઈ પટેલ       C. સરોજિની નાયડુ         D. બાબાસાહેબ આંબેડકર

64). ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ?
A. આલપ ખાન                 B. અસબલ્લા ખાન         C. મિર્ઝા અઝીઝ કોકા      D. નવાબુલ્લાખાન

65). ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?
A. ગોહિલ ભાવસિંહજી પ્રથમ    B. ગોહિલ ભાવસિંહજી દ્વિતીય        C. ગોહિલ સેજક્જી          D.ભાવસિંહજી રાઠોડ

66). અમદાવાદમા સુરેન્દ્રનાથ બેનરજીના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું ?
A. 1905                         B. 1910                    C. 1920                    D. 1902

67). ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકુટ સત્તાનો સ્થાપક કોણ હતો ?
A. દંતિદુર્ગ                      B. કૃષ્ણ પહેલો              C. નાગભટ્ટ                 D. ઇન્દ્ર

68). સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું ?
A. જુનાગઢ પર વિજય          B. બર્બરક પર વિજય       C. માળવા પર વિજય      D. સોરઠ પર વિજય

69).ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો ?
A. મિલમજૂરોના વેતન માટે                        B. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવા
C. આગેવાન ખેડૂતોની ધરપકડ સામે              D. ઉદ્યોગોની અંગ્રેજ ઇજારાશાહી દૂર કરવા માટે

70). કયા રાજાના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલીત બન્યો હતો ?
A. કુમારપાળ સોલંકી            B. વનરાજ ચાવડા         C. સિદ્ધરાજ જયસિંહ        D. મૂળરાજ સોલંકી

71). લોકસભાના ઉપાધ્યક્ષ (હાલમાં) કોણ છે ?
A. પી.જે. કુરિયન               B. સુમિત્રા મહાજન         C. એમ. થમ્બીદુરાઈ       D. ગુલામનબી આઝાદ

72). નીતિપંચના અધ્યક્ષ (હાલમાં) કોણ છે ?
A. ડૉ. રાજીવકુમાર              B. વિવેક દેબેરોય           C. નંદ કિશોર સિંહ          D. નરેન્દ્ર મોદી

73). CAG (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) હાલમાં કોણ છે ?
A. રણજીત કુમાર                B. રાજીવ મહર્ષિ            C. કે.કે. વેણુગોપાલ        D. અનુપ મિશ્રા

74). નાણાંપંચના અધ્યક્ષ નંદકિશોરસિંહ કોના સ્થાને આવ્યા ?
A. ડૉ. વિજય કેલકર             B. સી. રંગરાજન           C. ડૉ. વાય.વી.રેડ્ડી         D. સ્વતંત્રસિંહ

75). હાલના એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ કોનો પદભાર પૂરો થતાં રાષ્ટ્રપતિ દ્વારા નિમાયા ?
A. રણજીત કુમાર                B. મુકુલ રોહતગી           C. ઊર્જિત પટેલ            D. રઘુરામ રાજન

76). 1 જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ શનિવાર હોય તો ૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ કયો વાર હશે ?
A. મંગળવાર                    B. બુધવાર                 C. ગુરુવાર                  D. શુક્રવાર

77). એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?
A. 51                           B. 52                       C. 53                      D. 50

78). એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આગળ જતાં ડાબી બાજુ વળી એક નાની ટેકરી ફરીને અર્ધગોળાકાર લઈ ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે. તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે ?
A. પશ્ચિમ                        B. પૂર્વ                      C. ઉત્તર                    D. દક્ષિણ

79). જો કોઈ એક મહિનાના 11માં દિવસે શનિવાર હોય અને તે મહિનો કુલ 31 દિવસનો હોય તો કયો વાર મહિનામાં પાંચ વખત આવશે ?
A. બુધવાર                      B. ગુરુવાર                  C. શુક્રવાર                  D. ઉપરના તમામ

80). એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?
A. 8 કિ.મી.                     B. 12 કિ.મી.               C. 10 કિ.મી.               D. 18 કિ.મી.

81). ઘડિયાળમાં ૬ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?
A. નૈઋત્ય                       B. અગ્નિ                             C. વાયવ્ય                 D. ઈશાન

82). સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભા હશે ?
A.ઉત્તર                           B. પશ્ચિમ                   C. પૂર્વ                     D. દક્ષિણ

83). ઘંઉ ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘંઉ કરતાં કેટલા ટકા મોંઘા છે ?
A. 25                           B. 30                       C. 35                      D. 15

84). The Novelist and poet                       dead.
A. are                           B. were                    C. is                       D. have

85). નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
A. અતિરીક્ત                    B. અદભૂત                 C. દિક્ષીત                  D. મોંસૂઝણું
 
86). જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT =               .
A. 24                           B. 27                       C. 57                      D. 58

87).                     man is mortal.
A. a                             B. an                       C. the                      D. article not required

88). 5,8,17,           , 37,48 ખૂટતો અંક લખો.
A. 25                           B. 13                       C. 24                      D. 20

89). 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ?
A. 192                          B. 182                     C. 183                     D. 198

90). હાલમાં રિઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?
A. રઘુરામ રાજન              B. ઊર્જિત પટેલ            C. સી. રંગરાજન           D. મનોહર પારિકર

91). I know him. He is a                .
A. princess                     B. hostess                 C. dancer                  D. queen

92). તમારો લાઇનમાં બંને તરફ નવમો નંબર છે તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?
A. 17                           B. 18                       C. 15                      D. 16

93). ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે ?
A. મોહનલાલ ધામી             B. ઈશ્વર પેટલીકર C. કનૈયાલાલ મુનશી       D. ચંદ્રકાંત મહેતા

94). કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કઈ બાજુના અક્ષર દૂર થશે ?
A. ડાબી                         B. જમણી                   C. ઉપર                    D. નીચે

95). સંસદના ઉપલા ગૃહને શું કહે છે ?
A.લોકસભા                      B. રાજ્યસભા               C. વિધાનસભા             D. વિધાન પરિષદ

96). ફેફસાંમાં રુધિરનું પરિવહન કરવાનું કામ કોણ કરે છે ?
A. કિડની                        B. ધમની                   C. શિરા                    D. B અને C બંને

97). કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?
A. જખૌનો મેળો                 B. ચિત્રવિચિત્રનો મેળો     C. રવેચીનો મેળો           D. રાપરદેવનો મેળો


98). સુરેશ તેના વર્ગમાં ઊંચો વિદ્યાર્થી છે. પરંતુ તે રાકેશ કરતાં નીચો છે, પણ રમેશ કરતાં ઊંચો છે, રમેશ, પ્રકાશ કરતાં નીચો છે તો આખા વર્ગમાં સૌથી નીચો વિદ્યાર્થી કોણ છે ?
A. પ્રકાશ                        B. રમેશ                    C. સુરેશ                    D. રાકેશ

99). 3, 9, 4, 16, 5, 25, 7,              .
A. 41                           B. 49                       C.56                       D.77

100). રાજ્યસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે ?
A. 26                           B. 12                       C. 25                      D. 11


No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...