1). રાઇડર કપ કઈ
રમતમાં રમાય છે ?
A. હોકી B. બેઝબોલ C.
ગોલ્ફ D. બેડમિન્ટન
2). વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કયા વર્ષમાં થઈ
હતી ?
A. 2001 B. 2003 (દર બે વર્ષે મળે
છે.) C. 2005 D. 2006
3).ભૂકંપની તીવ્રતા
અનુસાર કચ્છ કયા ભૂકંપ ઝોનમાં આવેલો છે ?
A. બીજા B. ત્રીજા C. ચોથા D.
પાંચમા
4). અનુ.108 મુજબ ભરાયેલી સંસદની સંયુક્ત
બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
A. રાષ્ટ્રપતિ B. પ્રોટેમ સ્પીકર C.
લોકસભા અધ્યક્ષ D. રાજ્યસભા અધ્યક્ષ
5). નીચેના મુખ્યમંત્રીઓમાંથી કયા
મુખ્યમંત્રીને બીજી વાર મુખ્યમંત્રી બનવાનૌ સૌભાગ્ય નથી સાંપડયું ?
A. બાબુભાઇ પટેલ B.
અમરસિંહ ચૌધરી C. કેશુભાઈ પટેલ D. માધવસિંહ સોલંકી
6). ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ
દેસાઇ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?
A. કિર્તિ મંદિર B.
કોચરબ આશ્રમ C. વેડછી આશ્રમ D. ગાંધી આશ્રમ
7). લોકસભાના સભ્ય સતત કેટલા દિવસ સુધી
ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ થઈ જશે ?
A. 30 દિવસ B. 14 દિવસ C. 60
દિવસ D. 10 દિવસ
8). ભારતીત સંસદભવનનું ઉદઘાટન કોના હસ્તે
થયું હતું ? (ઈ.સ.1927માં)
A. ગાંધીજી B. જવાહરલાલ નહેરુ C. લોર્ડ માઉન્ટ બેટન D.
લોર્ડ ઇરવિન
9). 58માં ગુજરાત ગૌરવ
દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી ?
A. સુરત B. ભુજ C.
ભરૂચ D. મોડાસા
10). BRTS રૂટને શું નામ આપવામાં આવ્યું છે ?
A. રાજપથ B. જનમાર્ગ C. ટ્રંક રોડ D. જનપથ
A. રાજપથ B. જનમાર્ગ C. ટ્રંક રોડ D. જનપથ
11). રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે ?
A. ઉપરાષ્ટ્રપતિ B. સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ C. વડાપ્રધાન D. એટર્ની જનરલ
12). વડી અદાલતને રીટ જાહેર કરવાની સત્તા કયા
અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે ?
A. અનુ.32 (સુપ્રિમ કોર્ટને રીટ જાહેર કરવાની સત્તા) B.
અનુ.226
C. અનુ.-24 (બાળમજૂરી પર પ્રતિબંધ) D. અનુ.–16 (જાહેર
નોકરીની બાબતમાં તકની સમાનતા)
13). ગીરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે
જાહેર કરવામાં આવ્યું ?
A. 1980 B. 1970 C. 1969 D. 1965
14). ગુજરાતમાં
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કયા શહેરથી કરવામાં આવ્યો હતો ?
A. સુરત B. મહેસાણા C.
આણંદ D. ભરૂચ
15). કયા કવિ જન્મથી અંધ હતા ?
A. જોસેફ મેકવાન B.
પ્રિતમ C. શામળ D. ધીરો
16). રાજ્યસભાના
સભ્યો દર કેટલા
વર્ષે નિવૃત્ત થાય છે ?
A. દર વર્ષે B. દર
બે વર્ષે C. દર 5 વર્ષે D. દર 3 વર્ષે
17). સૌપ્રથમ વખત ટ્રિપલ તલાકને અદાલતમા
પડકારનાર મહિલા કોણ હતા ?
A. સાયરા બાનો B.
શાહબાનો C. તસ્લીમા બાનો D. ફરઝાના
18). તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ જાહેરાત
કરી કે 1857ના વિપ્લવના સ્થાને પાઇકા વિદ્રોહને આઝાદીની પ્રથમ લડાઈ ગણાશે ?
A. સ્મૃતિ ઈરાની B. રાજનાથસિંહ C. પ્રકાશ જાવડેકર D. ડો. હર્ષવર્ધન
19). રાની લક્ષ્મીબાઇના ઘોડાનું નામ શું હતું ?
A. ચેતક (મહારાણા પ્રતાપના ઘોડાનું નામ)
A. ચેતક (મહારાણા પ્રતાપના ઘોડાનું નામ)
B.બાદલ
C. શ્રીકર (સિદ્ધહેમશબ્દાનુશાસન નામના ગ્રંથની સવારી જે હાથી પર થઈ હતી તે
હાથીનું નામ)
D. રાવ
20). ‘લાઈફ ડિવાઇન’ નામની કૃતિ કોની છે ?
A. અરવિંદ ઘોષ B. શિવાનંદ (ડિવાઇન લાઈફ) C. મોરારજી દેસાઈ (નેચર ક્યોર)
A. અરવિંદ ઘોષ B. શિવાનંદ (ડિવાઇન લાઈફ) C. મોરારજી દેસાઈ (નેચર ક્યોર)
D. અલબરૂની(કિતાબુલ હિન્દ)
21). બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
A. ઈ.સ.1917 (ચંપારણ)
B. ઈ.સ.1918 (ખેડા)
C.
ઈ.સ.1923
D. ઈ.સ.1928 (બારડોલી)
22). અકબરની અંતિમ લડાઈ કઈ હતી ?
A. પાણીપતનું બીજું યુદ્ધ (અકબર અને હેમુ વચ્ચે) (ઈ.સ.1556માં)
A. પાણીપતનું બીજું યુદ્ધ (અકબર અને હેમુ વચ્ચે) (ઈ.સ.1556માં)
B. હલ્દીઘાટીનું યુદ્ધ (મહારાણા પ્રતાપ અને અકબરના સેનાપતિ માનસિંગ વચ્ચે) (ઈ.સ.1576માં)
C.
અસીરગઢની લડાઈ
D. ગોગ્રાનું યુદ્ધ (મોહંમદ લોદી અને બાબર વચ્ચે ) (ઈ.સ.1529માં)
23). સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ
પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી
પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે ?
A. 18512 B. 81521 C. 18521 D. 81251
24). આગ્રાના લાલ કિલ્લાની રચના કોણે કરી હતી ?
A. શાહજહા (દિલ્હીનો લાલ કિલ્લો) B. અકબર C. હુમાયું D. બાબર
25). કચ્છના અખાતમાંથી મોતી કાઢવાનો ઉદ્યોગ કયા મુઘલ સમ્રાટના
સમયમાં વિકસયો હતો ?
A. અકબર (ભૂચર મોરીનું યુદ્ધ- અકબર ના સુબા મિર્ઝા અઝીઝ કોકા અને જામ સતાજી વચ્ચે, ધ્રોલ ખાતે જિલ્લો જામનગર જ્યાં અત્યારે શહિદ વન બનાવવામાં આવ્યું છે)
B. હુમાયું
C. ઔરંગઝેબ (વર્ષ 2015માં દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામકરણ કરી APJ અબ્દુલ કલામ રોડ કર્યું)
D. શાહજહા (શાહીબાગ અને મોતીશાહી મહેલની સ્થાપના)
26). શાહ આલમનો રોજો અમદાવાદમા ક્યાં આવેલો છે ?
A.આસ્ટોડિયા (રાણી સિપ્રીની મસ્જિદ) B. ગોમતીપુર (બીબીજી કી મસ્જિદ, હાલતા મિનારાની મસ્જિદ)
C. દુધેશ્વર વિસ્તાર
(અચુત કુકીની મસ્જિદ) D. ચંડોળા તળાવ
27). બાગ-એ-ફિરદૌસ અને બાગ-એ-શબાન જેવા બગીચાઓની રચના કોણે કરાવી
હતી ?
A. મોહમ્મદ બિન તુઘલક (ખેતીવાડીને પ્રોત્સાહન આપવા ‘દીવાન-એ-કોહી’ની રચના)
B. ફિરોઝશાહ તુઘલક (ગરીબો અને વિધવાઓને મદદ કરવા ‘દિવાન-એ-ખેરાત’ની રચના)
C. મહંમદ બેગડો
D. ખુશરો શાહ (ખીલજી વંશનો અંતિમ શાસક)
28). કાંકરીયા
પ્રાણી સંગ્રહાલયની સ્થાપના વર્ષ ઈ.સ. 1951માં કોણે કરી હતી ?
A. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (કિડ્સ સિટીની સ્થાપના)
B. રૂબીન ડેવિડ (ને વર્ષ 1974માં પદ્મશ્રી મળ્યો હતો.)
C. અટલ બિહારી વાજપેયી (ના જન્મદિવસ 25 dec. 2008ના રોજ ટોય ટ્રેનને અટલ એક્સપ્રેસ નામ અપાયું હતું. જે ટ્રેનને લંડનથી મંગાવવામાં આવી હતી. આ ટ્રેનની સફળતા બાદ કાંકરીયા સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ નામક બીજી ટ્રેન પણ શરૂ કરી છે.)
D. જવાહરલાલ નહેરૂ
29). તુઘલક વંશમાં
સોમનાથ મંદિર પર થયેલા કોના આક્રમણ વખતે સમઢીયાળાના રાજવી હમીરજી ગોહિલ અને ગીરનો
સાવજ ગણાતા વેગડા ભીલ મૃત્યુ પામ્યા હતા ?
A. નાસૂરૂદ્દીન મહંમદ તુઘલક (નો ગુજરાતનો સૂબો ઝફરખાન હતો)
B. ઝફરખાન
C. મહંમદ બેગડો (મૂળ નામ ફતેહ ખાન હતું)
D. અલાઉદ્દીન ખીલજી
(ઝફરખાનની સોમનાથ પર ચડાઈની વાત સાંભળતા હમીરજીએ તેના 200 બળિયા ભેરુ સાથે સોમનાથની રક્ષા અર્થે જવાનું નક્કી કર્યું ત્યાં રસ્તામાં ગીરના સાવજ ગણાતા વેગડા ભીલ પણ સાથે ગયા અને 10 દિવસ જેટલો લાંબો સમય યુદ્ધ ચાલ્યા બાદ બંને શહિદ થયા. આ કારણથી હાલમાં સોમનાથ મંદિરની બહાર વેગડાજી અને મંદિરના મેદાનમાં હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે.)
30). તઘલક વંશમાં
ગુજરાતનો સૂબો કોણ હતો ?
A. તાતારખાન (ઝફરખાનનો પુત્ર)
B. સરવરખાન (ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટદાર- ખીલજી વંશમાં)
C. મલિક મુહમ્મદ ઝાયસી (પદ્માવત ગ્રંથની રચના ઈ.સ.1540માં
અવધિ ભાષામાં, ચોપાઈ શૈલીમાં)
D. ઝફરખાન
31). દિલ્હી
સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
A. અલાઉદીન ખીલજી B. કુતુબુદ્દીન ઐબક C. જલાલુદ્દીન ખીલજી
(ખીલજી વંશના સ્થાપક)
D. કૈકુબાદ (ગુલામ વંશનો અંતિમ શાસક)
32). દ્રાપરયુગમાં
લાકડાનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
A. સોમેશ્વર B. રાવણ C. કૃષ્ણ D. ભીમદેવ પ્રથમ
સતયુગમાં
|
ત્રેતાયુગમાં
|
દ્વાપરયુગમાં
|
કળિયુગમાં
|
સોમેશ્વરે
|
રાવણે
|
કૃષ્ણએ
|
ભીમદેવ પ્રથમએ
|
સોનાનું બનાવ્યું
|
ચાંદીનું બનાવ્યું
|
ચંદનના લાકડાનું બનાવ્યું
|
પથ્થરનું બનાવ્યું
|
33). કુંભારિયાના
દેરા કોણે બંધાવ્યા હતા ?
A. ભીમદેવ પ્રથમ (મોઢેરાનું સૂર્યમંદિર, મહેસાણા)
B. વિમળમંત્રી
C. સિદ્ધરાજ જયસિંહ (સહસ્રલિંગ સરોવર બંધાવ્યું.) (પાટણમાં આવેલું દુર્લભ સરોવર જે
સોલંકી વંશના દુર્લભરાજે બંધાવ્યું હતું તે સુકાઈ ગયું હતું જેનું સમારકામ કરી
સિદ્ધરાજ જયસિંહે તેના કાંઠે 1008 શિવાલયો બંધાવ્યા હતા)
D. કુમારપાળ (ગિરનાર પર સૌપ્રથમ પગથિયાં બંધાવ્યા અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો )
34). શંકરાચાર્યએ
જ્યારે દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી ત્યારે ગુજરાતમાં કયા વંશનું શાસન હતું ?
A. મૈત્રક વંશ B. ચાવડા વંશ C. અનુમૈત્રક કાળ D. સોલંકી વંશ
35). મૈત્રક વંશનો
સૌથી પ્રતાપી શાસક કોણ હતો ?
A. ધરસેન ચોથો (ચક્રવર્તી)
B. ધ્રુવસેન બીજો (ના સમયમાં હ્યુ-એન-સંગે ઈ.સ.640માં વલભીની મુલાકાત લીધી હતી)
C. શિલાદિત્ય પ્રથમ (ધર્માદિત્ય)
D. શિલાદિત્ય સાતમો (મૈત્રક વંશનો અંતિમ શાસક) (ધ્રુભટ)
36). કયા રાજાને ‘બીજો પરશુરામ’ કહેવામા આવતો ?
A. ધનાનંદ (ની હત્યા કરી ચંદ્ર્ગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી)
B. મહાપદ્મનંદ
C. શિશુનાગ (શિશુનાગ વંશની સ્થાપના કરી)
D. કાલાશોક (ઈ.સ.પૂ. 383માં બીજી બૌદ્ધ સભાનું આયોજન કર્યું હતું)
37). વર્લ્ડ
હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત ચાંપાનેર પંચમહાલ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે
?
A. હાલોલ B. કાલોલ C. ઘોઘંબા D. જાંબુઘોડા
2004માં UNESCO દ્વારા દરજ્જો પ્રાપ્ત
UNESCOની સ્થાપના ઈ.સ.1946માં વર્તમાન અધ્યક્ષ : ઔદ્રે અઝોલે, વડુંમથક : પેરિસ, ફ્રાન્સ
ક્રમ
|
ગુજરાતનાં સ્થળ
|
વર્ષ
|
૧.
|
ચાંપાનેર
|
૨૦૦૪
|
૨.
|
રાણકી વાવ
|
૨૦૧૪
|
૩.
|
અમદાવાદ શહેર
|
૨૦૧૭
|
38). ઘોડાના
હાડકાંના અવશેષો કયા પ્રાચીન સ્થળેથી મળી આવ્યા હતા ?
A. રોજડી (રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો) (હાથીના અવશેષો મળી આવ્યા હતા)
B. સુરકોટડા (કચ્છ જિલ્લો, રાપર તાલુકો)
C. દેસલપર (કચ્છ જિલ્લો, નખત્રાણા તાલુકો) (કિલ્લેબંધીવાળું નગર મળી આવ્યું હતું)
D. ધોળાવીરા (કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો) (10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવ્યું હતું)
39). દરિયામાં
ડૂબેલી દ્વારકાને શોધવાનું શ્રેય કોને જાય છે ?
A. માધો સ્વરૂપ વત્સ
B. ડો.એસ.આર.રાવ (શિકરીપુરા રંગનાથ રાવ)
C. આર.એસ.બિષ્ટ (રવિન્દ્રસિંહ બિષ્ટ)
D. જગતપતિ જોશી
40). ગુજરાતમાં
હડપ્પા સંસ્કૃતિના મથકો પૈકી સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ અવશેષો કયા સ્થળેથી મળી
આવ્યા છે ?
A. લોથલ B. મોંહે-જો-દડો C. રંગપુર D. સુરકોટડા
41). હડપ્પા સભ્યતા / સિંધુ ખીણની સભ્યતા પર સૌ પ્રથમ પ્રકાશ
કોણે પાડ્યો હતો ?
A. જનરલ કનિંગહામ (પંજાબમાં રેલવેના પાટા નાખતી વખતે ઈ.સ.1856માં પુરાવા મળી આવ્યા હતા)
B. દયારામ સાહની (પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ઈ.સ.1921માં હડપ્પાની શોધ કરી હતી)
C. સર જ્હોન માર્શલ (ના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સાહનીના પ્રયત્નોથી સિંધ પ્રાંતના લારખાના જીલ્લામાં મોંહે-જો-દડોમાં નગરીય અવશેષો મળ્યા) (ઈ.સ.1922માં)
D. ચાર્લ્સ મેસન (ઈ.સ.1826માં)
42). સૌરાષ્ટ્રને ‘સુરાષ્ટ્રિય’ કોણે કહ્યું હતું ?
A. હ્યુ-એન-સંગ (સોરઠને સુલકા કહ્યું હતું)
B. પેરિપ્લસ
C. સ્ટ્રેબો (સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહ્યું હતું)
D. ટોલેમી (વેરાવળને વેરાકુલ કહ્યું હતું)
43). મૌર્ય વંશની
માહિતી કયા પુસ્તકમાંથી મળે છે ?
A. મત્સ્ય પુરાણ (સાતવાહન વંશની માહિતી) B. વિષ્ણુ પુરાણ
C. વાયુ પુરાણ (ગુપ્ત વંશની માહિતી) D. ગરુડ પુરાણ (માણસના મૃત્યુ સમયે વંચાય છે)
44). ફો-ક્વોકી
નામના ગ્રંથની રચના કયા ચીની યાત્રાળુએ કરી હતી ?
A. સુંગ-યુન (ભારત આવી મહાયાન સંપ્રદાયની 170 પુસ્તકોની નકલ કરી લઈ ગયો)
A. સુંગ-યુન (ભારત આવી મહાયાન સંપ્રદાયની 170 પુસ્તકોની નકલ કરી લઈ ગયો)
B. ફાહિયાન (ભારત આવનાર પ્રથમ ચીની યાત્રાળુ) (ગુપ્તકાળમાં)
C. હ્યુ-એન-સંગ (વલભીની મુલાકાત લીધેલી અને સી-યુ-કી નામના ગ્રંથની રચના કરેલી)
D. ઇત્સિંગ (ભારત આવનાર છેલ્લો ચીની યાત્રાળુ)
45). ‘અષ્ટાધ્યાયી’ નામનો ઐતિહાસિક ગ્રંથ કોણે લખ્યો હતો ?
A. પતંજલિ (મહાભાષ્ય) B. ચાણક્ય (અર્થશાસ્ત્ર) C. કલ્હણ (રાજતરંગિણી) D. પાણીની
46).
ઈ.સ.પૂ.ત્રીજી સદીના સમ્રાટ અશોકના શિલાલેખો કોણે ઉકેલ્યા હતા ?
A. જેમ્સ પ્રિન્સેપ (બ્રાહ્મી લિપિ ઉકેલી) (ઈ.સ.1837માં)
B. રોબર્ટ એસ.ફ્રૂટ (મહેસાણા જિલ્લાના કોટ અને પેઢામલી ખાતેથી ઈ.સ.1893માં પ્રાચીન નગરોના અવશેષો શોધ્યા)
C. માધો સ્વરૂપ વત્સ (રંગપૂરનું સંશોધન ઈ.સ.1931માં)
D. ડો.એસ.આર.રાવ (રંગપૂરનું સંશોધન ઈ.સ.1954માં)
47). ભારતના સૌથી
વધુ નાગરિકો કયા દેશમાં વસી રહ્યા છે ?
A. ચીન B. અમેરિકા C. કતાર D. આફ્રિકા
48). આફ્રીકી દેશ
દક્ષિણ સુડાનની રાજધાની જુબામાં નાગરિક અસંતોષ ભડકતા ત્યાં રહેલા ભારતીય નાગરિકોને
બચાવવા ભારતીય વાયુસેના દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ?
A. ઓપરેશન ઇન્સાનિયત B. ઓપરેશન સંકટમોચન C. ઓપરેશન શક્તિ D. ઓપરેશન બ્લેકમેન
49). WHO દ્વારા તાજેતરમાં કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કરાયો ?
A. ભારત B. પાકિસ્તાન C. ચીન D. શ્રીલંકા
50). સેન્ટ
મેરિત્સબર્ગ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ગાંધીજીને ધક્કો મારીને નીચે ઉતારનાર
રેલ્વે અધિકારીનું નામ શું હતું ?
A. જનરલ હ્યુરોજ B. જનરલ સ્મર્ટ C. જનરલ કિંગ્સફોર્ડ D. લુઈસ વેલી
Super
ReplyDelete